આપણા ભારતમાં વિવિધ પ્રકારના ફળ ઉપલબ્ધ છે અને દરેક ફળને પોતાના અલગ અલગ ગુણો અને ફાયદા છે. ફળમાં વિવિધ પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરને કામકાજ કરવા માટે જરૂરી હોય છે. ફળોના નિયમિત સેવનથી વિવિધ બીમારીઓથી બચવામાં મદદ મળે છે. એવું જ એક ફળ દ્રાક્ષ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બજારમાં વિવિધ રંગની દ્રાક્ષ મળે છે જેમ કે જાંબલી, લાલ, કાળી, ઘેરી વાદળી, આ બધી દ્રાક્ષ પોષક તત્વોનો ભંડાર છે. તેથી દ્રાક્ષનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
દ્રાક્ષનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કારણકે દ્રાક્ષમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, આયર્ન,પોટેશિયમ, મેગ્નેશિયમ, બીટા કેરોટીન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ પણ હાજર હોય છે જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. તો આવો જાણીએ દ્રાક્ષ ખાવાના કયા-કયા ફાયદા થાય છે.
1) આંખો:- દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને બીટા કેરોટીન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. તેથી જો તમે દ્રાક્ષનું સેવન કરો છો તો તેનાથી આંખોની રોશની માં સુધારો થાય છે અને આખો સ્વસ્થ પણ રહે છે.
2) ઇમ્યુનિટી:- દ્રાક્ષનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ મળે છ, કારણ કે દ્રાક્ષમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે તમને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
3) હાડકા:- દ્રાક્ષમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેથી જો તમે તમારા ડાયટમાં દ્રાક્ષને સામેલ કરો છો તો તેનાથી હાડકા મજબૂત થાય છે અને હાડકાથી જોડાયેલી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.
4) કોલેસ્ટ્રોલ:- શરીરમાં વધતા કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે દ્રાક્ષનું સેવન ફાયદા કારક છે. કારણકે દ્રાક્ષ એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ એટેક નું જોખમ ઓછું રહે છે.
5) કબજિયાત:- જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં ફાઇબરનું સારું પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે મળને મુલાયમ બનાવે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
6) ત્વચા:- દ્રાક્ષ વિટામીન સી અને વિટામીન એ જેવા તત્વોથી ભરપૂર હોય છે, તેથી જો તમે દ્રાક્ષનું સેવન કરો છો તો આ ત્વચા માટે ફાયદાકારક છે. તેના સેવનથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.
7) બ્લડ પ્રેશર:- હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીઓ જો પોતાના ડાયટમાં દ્રાક્ષને સામેલ કરે તો આ તેમના માટે ફાયદાકારક છે. કારણકે તેમાં હાજર પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
8) કેન્સર:- દ્રાક્ષમાં એન્ટી કેન્સર ગુણ ઉપલબ્ધ હોય છે તેથી જો તમે તમારા ડાયટમાં દ્રાક્ષને સામેલ કરો છો તો તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઓછું રહે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)