મિત્રો આજના સમયમાં પથરીની સમસ્યા વધતી જવી એ એક ગંભીર બાબત છે. તેના મુખ્ય કારણમાં પાણીની કમી અને ખાણીપીણી હોય છે. તેના કારણે પેશાબ કરવામાં મુશ્કેલી, પેશાબ માં લોહી આવવું, ઉલટી તાવ અને પેટના નીચેના ભાગમાં ગંભીર દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો પથરી વધી જાય તો દર્દીને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દવાઓ અને સર્જરી દ્વારા તેને શરીરમાંથી બહાર કાઢી શકાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ઘરેલુ વસ્તુઓ વિશે જણાવીશું જે તમારા શરીરમાંથી મોટામાં મોટી પથરીને ઓગાળીને બહાર કાઢી દેશે.
1) ખૂબ પાણી પીવો:- પાણી કિડની ના ખનીજો અને પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે અને પાચન તથા અવશોષણની ક્રિયાને તેજ બનાવે છે. જેનાથી શરીરમાં હાજર ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. તેથી જે લોકોને કિડનીની પથરી હોય છે તેમને સ્ટોનને પેશાબ દ્વારા બહાર કાઢવા માટે દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
2) લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ:-કિડની માંથી સ્ટોન બહાર કાઢવામાં લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ એટલે કે જૈતુન નું તેલ પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેથી દરરોજ લીંબુનો રસ અને ઓલિવ ઓઈલને મિક્સ કરીને પીવું જોઈએ. લીંબુનો રસ પથરીને તોડવાનું કામ કરે છે અને જૈતુન નું તેલ કોઈપણ સમસ્યા વગર કે બળતરા વગર પેશાબ વાટે પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. જે લુબ્રીકેન્ટ ના રૂપમાં કામ કરે છે.
3) દાડમ નો રસ:- દાડમ નો રસ કુદરતી રીતે કિડનીના સ્ટોનને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના સિવાય આ શરીરને હાઇડ્રેટ પણ રાખે છે સાથે જ તેમાંથી મળતા એન્ટિઓક્સિડન્ટ શરીરના ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે.
4) સફરજન નો સરકો:- સફરજનનો સરકો કિડનીના સ્ટોનને તોડવા અને ઓગાળવાની પ્રક્રિયામાં મદદ કરે છે. ત્યારબાદ મૂત્રમાર્ગ દ્વારા પથરી બહાર નીકળી જાય છે. તેના સિવાય સફરજનનો સરકો ઝેરીલા તત્વોને બહાર કાઢીને કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. દરરોજ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં બે મોટી ચમચી સફરજનના સરકાને પીવાથી પથરી કુદરતી રીતે બહાર નીકળી જાય છે.
5) મકાઈના વાળ:- સામાન્ય રીતે મકાઈના વાળને લોકો ફેંકી દે છે પરંતુ મકાઈના વાળ કિડની સ્ટોનને તોડીને બહાર કાઢવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેના માટે મકાઈના વાળને પાણીમાં ઉકાળીને ત્યારબાદ ગાળીને તે પાણીનું સેવન કરવામાં આવે છે. તેનાથી પથરી મૂત્રમાર્ગ થી બહાર નીકળી જાય છે. એટલું જ નહીં તેનાથી પેટમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)