હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડતું એવું તરબૂચ લગભગ બધાને પ્રિય હોય છે. તરબૂચ ઉનાળાનું સુપરફૂડ છે. મોટાભાગના લોકો ગરમીની ઋતુમાં તરબૂચનું સેવન કરે છે. આ સ્વાદમાં અત્યંત લાજવાબ હોય છે અને તેમાં કેલરીની માત્રા પણ ખૂબ જ ઓછી હોય છે.
આ ગરમીની ઋતુમાં શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. સાથે જ આ વિટામીન ,મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ સિવાય કેટલાય જરૂરી પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જેનાથી આ ન માત્ર તમારા શરીરને પર્યાપ્ત પોષણ પ્રદાન કરે છે પરંતુ તમને અનેક બીમારીઓથી પણ બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકો માટે તરબૂચ ખાવાનું ખૂબ જ નુક્સાનદાયક બની શકે છે? હેલ્થ એક્સપર્ટ પ્રમાણે કેટલીક શારીરિક સમસ્યાઓ કે બીમારીમાં તરબૂચનું સેવન કરવાથી તેમની સ્થિતિ બગડી શકે છે. આ લેખ દ્વારા આયુર્વેદિક ચિકિત્સક થી જાણીશું આવું થવાનું કારણ અને કયા લોકોએ તરબૂચ ખાવાથી બચવું જોઈએ. પહેલા આપણે ગરમીમાં તરબૂચ ખાવાના ફાયદા વિશે જાણીશું.
આયુર્વેદિક ડોક્ટર જણાવે છે કે તરબૂચ ને સંસ્કૃત માં કલીન્દા કહેવાય છે. આ તમારા શરીરને પોષણ આપે છે અને તેને ઠંડુ રાખે છે. અને બળતરાને શાંત કરે છે સાથે જ મૂત્ર સંક્રમણથી પણ રાહત મેળવવામાં મદદ કરે છે. આ શરીરની ગરમી અને પિત્તને દૂર કરવામાં મદદ કરે છે. તેના સિવાય શરીરને એનર્જી આપે છે જેનાથી તમારો થાક દૂર થાય છે.
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે જેનાથી આ ગરમીની ઋતુમાં શરીરને પાણીની કમી પૂરી કરે છે સાથે જ તમારા શરીરમાંથી ટોકસિન્સ ને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. ગરમીની મોસમમાં શરીરમાંથી પાણીની કમી થવાના કારણે અનેક પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આ તમને પેટ સંબંધી સમસ્યાઓથી પણ રાહત પ્રદાન કરે છે.
એન્ટીઓક્સિડેન્ટ નો શ્રેષ્ઠ સ્ત્રોત:- તરબૂચમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હાજર હોય છે એન્ટિઓક્સિડન્ટ તમારા શરીરની ફ્રી રેડિકલ્સને ટોક્સિન્સ થી લડવામાં મદદ કરે છે. સાથે જ એન્ટિઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.
હૃદયરોગ અને કેન્સરના જોખમને દૂર કરે છે:- એવા ઘણા અભ્યાસો છે જેમાં તે બહાર આવ્યું છે કે શરીરમાં હાજર ફ્રી રેડિકલ ઓક્સિડેટીવ તણાવને ઉત્તેજિત કરે છે. જે કોશિકાઓને નુકસાન પહોંચાડે છે. સાથે જ હૃદય રોગ અને કેન્સરના જોખમને પણ વધારે છે એવામાં તરબૂચ ખાવાથી ફ્રી રેડિકલ્સથી લડવામાં અને તેને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે. સાથે જ આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે, જે હૃદયનો હુમલો અને સ્ટ્રોક જેવી સમસ્યા માટે જવાબદાર છે.
કયા લોકોએ ન ખાવું જોઈએ તરબૂચ અને કેમ?:- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ભલે તરબૂચ શરીરની ગરમી અને પિત્ત ને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે પરંતુ આની ઠંડી પ્રકૃતિના કારણે આ કફ અને વાતમાં અસંતુલન પેદા કરી શકે છે જેથી કેટલીક સમસ્યાઓ માં આના સેવનથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે જેમ કે :- 1. શરદી-ખાંસી, 2. ગળામાં, ખરાશ, 3. તાવ, 4. એલર્જી, 5. અસ્થમા, 6. ગઠીયો વા, 7. સાઇનસાઇટિસ. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેમના અનેક દર્દીઓએ તરબૂચ ખાવાથી સોજો અને ગઠીયા ના દુખાવામાં વધારો થવાનો અનુભવ કર્યો. કારણ કે આ શરીરની પ્રકૃતિને ઠંડી રાખે છે. ત્રણ દિવસ સુધી સતત તરબૂચ ખાવાથી તેમના એક દર્દીનો દુખાવો વધી ગયો. એવામાં એ શ્રેષ્ઠ રહેશે કે તમે આ સમસ્યાઓ દરમિયાન તરબૂચ ન ખાઓ.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)