આપણી આસપાસ જ સરળતાથી મળી રહેતી વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી બને છે. આવી વનસ્પતિઓમાં ફુદીનો અને ધાણા છે. ફુદીનો અને ધાણાનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. ફુદીનો અને ધાણાનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. તેના સિવાય આ બંને ની ચટણી પણ બનાવી શકાય છે. સાથે જ ફુદીનો અને ધાણાનું પાણી પણ બનાવી શકાય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે.
ફુદીનો અને ધાણાના પાન ની તાસીર ઠંડી હોય છે તેથી ઉનાળામાં લગભગ આનું પાણી પી શકાય છે. આનાથી બોડી ડિટોક્સ થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. એટલું જ નહિ ફુદીનો અને ધાણાનું પાણી પીવાથી પેટ સંબંધી દરેક સમસ્યાઓ દૂર થાય છે. તમે પણ ફુદીનો અને ધાણાનું પાણી તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આવો આ લેખ દ્વારા જાણીએ ફુદીનો અને ધાણાનું પાણી શરીરમાં કયા કયા લાભ પ્રદાન કરે છે.
વજન ઘટાડે:- ફુદીનો અને ધાણાના પાન વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. ફુદીનો અને ધાણાના પાન નું પાણી એક સાથે પીવાથી વજન હંમેશા નિયંત્રિત રહે છે. સાથે જ ફેટ અને કેલેરી પણ બર્ન થાય છે.
પેશાબ સંબંધી સમસ્યાઓ:- ફુદીનો અને ધાણાનું પાણી પીવાથી પેશાબ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે આ પાણીને દરરોજ પીવાથી પેશાબમાં થતી બળતરા, દુખાવા માં આરામ મળે છે. પેશાબમાં સંક્રમણ અને ઇન્ફેક્શન પણ દૂર થાય છે.
પેટના રોગ:- ફુદીનો અને ધાણા ની તાસીર ઠંડી હોય છે, તેનાથી પેટની ગરમી શાંત થાય છે. સાથે જ પેટમાં બળતરા, એસિડિટીમાં પણ આરામ મળે છે. આ પાણીને નિયમિત પીવાથી પાચનમાં સુધાર થાય છે. ધાણા અને ફુદીનાનું પાણી ગેસ, કબજિયાત અને અપચા માંથી પણ રાહત આપે છે.
બોડી ડીટોક્સ : ફુદીનો અને ધાણાને ડિટોક્સ વોટર ના રૂપે પણ ઓળખાય છે. આ પાણીમાં ડિટોક્સિફાયિંગ ગુણ હોય છે, આ આપણા લોહીને સાફ કરે છે. અને દરરોજ સવારમાં ખાલી પેટે પીવાથી શરીરમાં જમા થયેલી ગંદકી સરળતાથી બહાર નીકળી જાય છે.
ત્વચા માટે ફાયદાકારક:- ફુદીનો અને ધાણાના પાન નું પાણી પીવાથી બોડી ડિટોક્સ થાય છે. શરીરમાં જમા ટોક્સિન્સ સરળતાથી બહાર નીકળી જાય છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે અને ત્વચામાં નિખાર આવે છે.
ફુદીનો અને ધાણાનું પાણી પીવાની રીત:-
1. સૌથી પહેલાં ફુદીનો અને ધાણાના થોડાક પાન સારી રીતે ધોઈ લો. હવે બધા પાનને એક ગ્લાસ નવશેકા પાણીમાં નાખો.બધાને સરસ રીતે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો, તેને ગાળીને પી લો.
2. ફુદીનો અને ધાણાનું પાણી તમે બીજી રીતે પણ બનાવી શકો છો તેના માટે એક બોટલમાં ફુદીનો અને ધાણાના કેટલાક પાન નાખો. સવારમાં ઉઠીને આ પાણીને ગાળી લો અને પીવો.
3. ફુદીનો અને ધાણાના પાન ને તમે ઉકાળીને પણ પાણી બનાવી શકો છો. તેના માટે તમે એક ગ્લાસ પાણીમાં ફૂદીનો અને ધાણાના પાન નાખો તેને સરસ રીતે ઉકાળી લો ત્યારબાદ ઠંડુ થાય એટલે ગાળીને પી લો.
ઉનાળામાં ફુદીનો અને ધાણાનું પાણી પીવું અત્યંત ફાયદાકારક છે. આયુર્વેદ પ્રમાણે પિત્ત પ્રકૃતિના લોકો માટે આ પાણી અત્યંત ઉપયોગી છે. જો તમે કોઈ સ્પેશિયલ ડાયટ ફોલો કરી રહ્યા હોવ તો ફુદીનો અને ધાણાનું પાણી પીતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ:- જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.)