મિત્રો શિયાળાની ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઋતુમાં બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી જેટલું કાળજીપૂર્વક રહીએ તેટલું આપણા માટે સારું છે. નાની સરખી ભૂલ થવા પર તમને ઠંડી ભરાઈ શકે છે. જો તમને એવું લાગી રહ્યું હોય કે ખૂબ જ માથામાં દુખાવો થઈ રહ્યો છે, બંધ નાક અને નાક વહી રહ્યું છે, ઉધરસ કે શરીરમાં દુખાવો થઈ રહ્યો છે તો આ ઠંડી ભરાવાના લક્ષણો છે. જો આમાંથી કોઈપણ પ્રકારના લક્ષણ હોય તો તુરંત સાવધાન થઈ જાઓ. કેટલાક ઘરેલુ ઉપચાર અપનાવીને તમે આનાથી છુટકારો મેળવી શકો છો.
1) મધ:- મધ આયુર્વેદિક ગુણોથી ભરપૂર ઔષધિ છે. તેમાં બેક્ટેરિયા અને વાયરસને મારવાની ક્ષમતા હોય છે. હુંફાળા પાણીમાં એક થી બે ચમચી મધ નાખીને તેને સરસ રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેનું સેવન કરો. તેનાથી ઘણો જ આરામ મળશે. ત્રણ ચાર વાર આ રીતે પીવાથી ગળાની ખરાશમાં પણ ઘણી જ રાહત મળશે. તેમાં એક ચમચી લીંબુનો રસ પણ મેળવી શકો છો.
2) ધાણા, જીરું, વરિયાળી અને મેથી:- ધાણા, જીરું, મેથી અને વરિયાળીને પીસી લો. થોડી સાકરને પાણીમાં નાખીને ઉકાળી લો. ઉકળેલા પાણીમાં આ મિશ્રણને મેળવી લો અને આરામથી પીવો. તેનાથી શરદી માં ઘણો જ લાભ થશે. જરૂરત પ્રમાણે દૂધ પણ મેળવી શકો છો, તેનાથી શરદીમાં તુરંત જ રાહત મળશે.
3) આદુ, ગોળ, અને દેશી ઘી:- ઠંડીની ઋતુમાં આદુ ખૂબ જ ફાયદાકારક છે. ઠંડી લાગવા પર આદુ, ગોળ અને દેશી ઘી નો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આદુને પીસીને દેશી ઘી અને ગોળની સાથે મેળવી લો. ધ્યાન રાખો કે ત્રણેયનું પ્રમાણ લગભગ સરખું જ હોય. મિશ્રણ બનાવીને દરરોજ સવારમાં ખાલી પેટે તેનું સેવન કરો. તેનાથી તમારી ઠંડી દૂર થઈ જશે અને તમને આરામ મળશે.
4) હળદર વાળું દૂધ:- ઠંડી કે શરદી થવા પર હળદરના દૂધનું સેવન કરો. હળદરમાં બેક્ટેરિયા અને વાયરસને મારવાની જબરજસ્ત ક્ષમતા હોય છે. દૂધ ગરમ કરો અને તેમાં એક ચમચી હળદર મેળવો. તેનું સેવન કરવાથી તમને ખૂબ જ આરામ મળશે અને શરીરને અંદરથી રાખશે ગરમ.
5) નાસ લો:- પાણી ગરમ કરો અને તેને કોઈ મોટા વાસણમાં નાખો. ત્યારબાદ માથા ઉપર ટુવાલ કે કોઈ કપડું નાખીને એવી રીતે ઢાંકી લો કે વરાળ નાક ની અંદર જાય. પાંચ થી દસ મિનિટ સુધી આમ કરી શકો છો. આમ કરવાથી તમને શરદી અને બંધ નાકથી મળશે છુટકારો.
જો તમને કોઈ પ્રકારની બીમારી હોય અને આમાંથી કોઈપણ વસ્તુની એલર્જી હોય તો આ ઉપચારને અપનાવતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ ફરજિયાત છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay