આપણા ઘરમાં એવી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે જેને સેવન કરવાની રીત, સમય અને તેના ફાયદા તથા ગુણો વિશે આપણને જાણ હોતી નથી. આવી જ વસ્તુઓમાં એક મધ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી અને લાભદાયક છે. મધની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામીન સી વિટામીન b6 કાર્બોહાઈડ્રેટ એમિનો એસિડ વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
એવામાં આને તમારા ડાયટમાં સામેલ કરવાનો એક ખુબ જ સારો વિકલ્પ છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સુતા પહેલા મધની એક ચમચીનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. રાત્રે સુતા પહેલા મધનું સેવન નવશેકા ગરમ દૂધ સાથે કે પાણી સાથે કરી શકાય છે. જી હા આજનો અમારો આ લેખ આ જ વિષય પર છે. જો રાત્રે સુતા પહેલા મધનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે તે જાણવા આ લેખ ને અંત સુંઘી વાંચતા રહો.
1) ઉધરસ મટાડે:- ગળામાં ઉધરસ ને દૂર કરવા માટે રાત્રે એક ચમચી મધનું સેવન ખૂબ જ ઉપયોગી છે. જેવી રીતે અમે તમને પહેલા જણાવ્યું હતું કે મધની અંદર એન્ટી બેકટેરિયલ ગુણ હાજર હોય છે, જે ન કેવળ કફને પાતળો કરે છે પરંતુ કફને પાતળો કરીને બહાર કાઢે છે. આવી સ્થિતિમાં રાત્રે સુતા પહેલા પાણીમાં એક ચમચી મધ મેળવીને તેનું સેવન કરો અને ઉધરસની સમસ્યાથી છુટકારો મેળવો.
2) ઇમ્યુનિટી:- જો રાત્રે સુતા પહેલા નવશેકા ગરમ દૂધમાં એક ચમચી મધનું સેવન કરવામાં આવે તો ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. મધની અંદર એન્ટી ઓક્સીડન્ટ તત્વ હાજર હોય છે. જે ન કેવળ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે પરંતુ સંક્રમણથી પણ છુટકારો અપાવે છે. એવામાં રાત્રે સુતા પહેલા મધનું સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે.
3) ત્વચા:- ચહેરા પર મધ નો ઉપયોગ કરવાથી નમી જળવાઈ રહે છે. જો રાત્રે સુતા પહેલા મધ ખાવામાં આવે તો ચહેરામાં કુદરતી ચમક આવી જાય છે. સાથે જ ચહેરો ખીલેલો અને તેની રંગત પણ સાફ હોવાનો અહેસાસ થાય છે.
4 ) વાળ:- મધ ની અંદર અનેક પોષક તત્વો હાજર હોય છે જે ન કેવળ વાળનો ગ્રોથ વધારે છે પરંતુ વાળને ખરાબ થતા પણ બચાવે છે. મધની અંદર એન્ટી ઓક્સીડન્ટ ગુણ હાજર હોય છે, જે વાળને અનેક સમસ્યાઓથી છુટકારો અપાવે છે. એવામાં રાત્રે સુતા પહેલા એક ચમચી મધનું સેવન વાળની સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી છે. તેના સિવાય મધમા દહી, ઈંડુ, એલોવેરા વગેરેને મેળવીને વાળમાં લગાવી શકાય છે.
5) ખીલ:- ખીલની સમસ્યા દૂર કરવા માટે જો રાત્રે મધનું સેવન કરવામાં આવે તો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મધ ની અંદર એન્ટિબેક્ટેરિયલ ગુણ હાજર હોય છે જે ખીલની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. એવામાં તમે રાત્રે સુતા પહેલા મધનું સેવન કરો. તમે રાત્રે સૂતી વખતે મધ ને ખીલ વાળી જગ્યા પર લગાવી પણ શકો છો.
6) વજન:- વજન ઘટાડવામાં મધ તમને ખૂબ જ કામ આવી શકે છે. એવામાં તમે રાત્રે સુતા પહેલા એક ચમચી મધનું સેવન નવશેકા ગરમ પાણી સાથે કરો. આમ કરવાથી શરીરમાં જામેલી વધુ પડતી ચરબીને દૂર કરી શકાય છે. તેના સિવાય રાત્રે સુતા પહેલા મધમા લીંબુના કેટલાક ટીપા મેળવીને તેનું સેવન કરી શકાય છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ મધનું સેવન રાત્રિના ભોજનના ત્રણ થી ચાર કલાક બાદ જ કરવું જોઈએ.
7) ગળાની ખરાશ:- ગળાની ખરાશને દૂર કરવા માટે મધ ખૂબ જ ઉપયોગી છે. એવામાં રાત્રે સુતા પહેલા એક ચમચી મધનું સેવન કરો, તેની સાથે જ તમે આદુનો રસ પણ મેળવી શકો છો. આમ કરવાથી ન કેવળ ખરાશ ની સમસ્યા દૂર થશે પરંતુ ગળાની સમસ્યામાં પણ રાહત મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)