હળદર:- સંધિવાથી આવેલા સોજા પર હળદર ઘણી અસરદાર સાબિત થાય છે. હળદરનું પ્રતિદિન સેવન કરવાથી સોજો ઓછો થાય છે. સૂવાથી પહેલા હંમેશા ગરમ દૂધમાં એક ચમચી હળદર મેળવીને પીવો. તેનાથી સંધિવામાં આરામ મળશે. 500 એમજી કે 1000 એમજી ની જે હળદરની કેપ્સુલ આવે છે તે પણ લઈ શકો છો અથવા તમે હળદરનું જ્યુસ પણ પી શકો છો
સફરજન:- સફરજન ના સરકાના ઉપયોગથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે સફરજનમાં પોટેશિયમ,કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. આ સાંધામાં વધારે પડતા યુરીક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે. તેના માટે એક કપ નવશેકું પાણી લઈ તેમાં એક ચમચી મધ અને એક ચમચી વિનેગર મેળવો. આને ખાલી પેટે દરરોજ પીવાથી દુખાવામાં આરામ મળશે.
આદુ:- ગઠિયા વા માં આદુથી પણ રાહત મેળવી શકાય છે. દરરોજ આદુનો ટુકડો ચાવવાથી પણ ગઠિયા વા માં રાહત મળે છે કારણ કે તેનાથી શરીરમાં લોહીનું સંચાર વધે છે. સુકુ આદુ એટલે કે સૂંઠનો પાવડર બનાવી લો. હવે છ ચમચી સૂંઠ પાવડર માં છ ચમચી જીરુ પાઉડર અને ત્રણ ચમચી મરી પાવડર આ બધી વસ્તુ મેળવીને સ્ટોર કરી લો.દરરોજ દિવસમાં ત્રણવાર આ પાવડર નુ પાણી સાથે સેવન કરો. તેનાથી ગઠીયા વા માં રાહત મળશે.
સિંધવ મી્ઠું:- શરીરમાં પીએચ લેવલ સંતુલિત રહેવું ખૂબ જરૂરી છે કારણકે હાય એસિડિટીથી સંધિવા જેવા રોગોને અગ્રતા મળે છે. સિંધવ મીઠામાં મેગ્નેશિયમ નું પ્રમાણ પુષ્કળ હોય છે જે શરીરમાં પીએચ લેવલને સંતુલિત બનાવી રાખે છે. સંધિવાના ઉપચાર માટે અડધા કપ નવશેકા પાણી માં ૧ નાની ચમચી સિંધવ મીઠું અને એટલો જ લીંબુનો રસ મેળવીને રાત્રે સુતા પહેલા પીવો અથવા તો એક ડોલ માં નવશેકું ગરમ પાણી લઈને તેમાં સિંધવ મીઠું નાખીને સંધિવા વાળી જગ્યા નો શેક કરો તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે.
સરસવ નુ તેલ:- સંધિવા મા સરસવના તેલની માલિશ ઘણી ફાયદાકારક છે.આ કુદરતી ઉપચાર છે. તેનાથી લોહીનો સંચાર પણ વધે છે. તેનાથી દુખાવામાં તો રાહત મળે જ છે પરંતુ શરીર જકડાઇ ગયું હોય તો પણ રાહત મળે છે. તેના માટે સરસવ ના તેલ ને થોડું નવશેકું ગરમ કરીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરો. તમે ઇચ્છો તો તેમાં ડુંગળીનો રસ પણ મેળવી શકો છો. રાત્રે સૂતા પહેલાં નિયમિત રૂપે માલિશ કરવાથી દર્દ માં ઘણો આરામ મળે છે.
માછલી નુ તેલ:- માછલીના તેલથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે કારણકે માછલીના તેલ માં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે દુખાવાને ઝડપથી ઓછો કરી દે છે. રાત્રે એક જ સ્થિતિમાં સુઈ રહેવાથી શરીર જકડાઈ જાય છે અને તેમાંય ગઠિયાના રોગીને સવારે ઉઠવામાં ઘણી પરેશાની થાય છે, તેથી સવારે ઊઠીને કઈ સારું લાગતું નથી. આ પરેશાની ને દૂર કરવા માટે તમે એકથી બે ચમચી માછલીના તેલ નુ દરરોજ સેવન કરો. અને આ સમસ્યાથી છુટકારો મેળવો.
તજ:- તજ પણ ગઠિયા વા ના દુખાવાને ને દૂર કરવામાં ઉપયોગી છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ નો ગુણ હાજર હોય છે. તેના માટે ૧ કપ નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને મધ મેળવીને દરરોજ ખાલી પેટે પીવો. આ દરરોજ પીવાથી સંધિવાના દુખાવામાં રાહત મળશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…