આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. અને શરીરને કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ દૂર થઇ શકે છે. નારિયેળ જેટલું ખાવામાં સ્વાદિષ્ટ છે એટલું જ આ ઘણું જ પૌષ્ટિક અને પોષક તત્વોથી ભરપૂર છે. કાચા નાળીયેર ની અંદર પાણી, ઉર્જા, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ સોડિયમ ઝિંક, કોપર, વિટામિન સી, વિટામિન બી5, વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે, જે સ્વાસ્થ્યને કેટલીય સમસ્યાઓથી દૂર રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને કેટલાય ફાયદા થાય છે. જી, હા કાચા નાળીયેર ની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હાજર હોય છે, જે કેટલીક સમસ્યાઓને દૂર રાખે છે. આજના અમારા આ લેખ ના માધ્યમથી જણાવીશું કે જો તમે રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરો છો તો સ્વાસ્થ્યને કયા કયા લાભ થાય છે.
1. અનિદ્રાની સમસ્યા દૂર થાય:- આજના સમયમાં લોકો વધતો તણાવ અને કામના પ્રેશરના કારણે અનિદ્રાની સમસ્યા નો શિકાર બને છે. તેવામાં આ સમસ્યા દૂર કરવા માટે કાચું નારિયેળ તમને ખૂબ જ કામ આવી શકે છે. રાત્રે જમતાં પહેલાં લગભગ અડધા કલાક પહેલા કાચા નારિયેળનું સેવન કરો. આમ કરવાથી ના કેવળ ઊંઘ સારી આવે છે પરંતુ અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.
2. કબજિયાતની સમસ્યાથી રાહત:- જો કોઈ વ્યક્તિ પેટની સમસ્યા કે કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે, તો તે રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરે. જણાવીએ કે કાચા નાળીયેર ની અંદર ફાઇબર હોય છે જે કબજીયાતની સમસ્યા દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. તેના સિવાય રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરવાથી પેટની સમસ્યાથી છુટકારો મળે છે.
3. હૃદયની સમસ્યા દૂર થાય:- જે લોકો હૃદયની સમસ્યાથી પરેશાન રહેતા હોય તેઓ રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરી શકે છે. વળી, નિયમિત રૂપે કાચા નારિયેળનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત રાખી શકાય છે. તેના સિવાય કાચા નાળીયેર ની અંદર સેનચુરેટેડ ફેટ ઉપલબ્ધ હોય છે, જે બોડીમાં સારા કોલેસ્ટ્રોલ ને સુધારી શકે છે. આ લોહી માં કોલેસ્ટ્રોલના લેવલનો સુધારો કરવાની સાથે-સાથે હૃદયથી જોડાયેલી બીમારીઓ ના જોખમને પણ ઓછું કરવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
4. વજન નિયંત્રિત કરે:- આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધવાથી પરેશાન છે તો એવામાં જણાવીએ કે વધતા વજનની સમસ્યાને દૂર કરવા માટે કાચું નારિયેળ તમને ખૂબ જ કામ આવી શકે છે. જેમ કે અમે તમને પહેલાં જણાવ્યું તે પ્રમાણે કાચા નાળીયેર ની અંદર ફાઇબર ઉપલબ્ધ હોય છે જે કેવળ પાચનક્રિયાને તંદુરસ્ત બનાવી શકે છે એટલુંજ નહીં, પરંતુ પેટથી જોડાયેલી કેટલીય સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી છે. એવામાં આ શરીરમાં હાજર એક્સ્ટ્રા ફેટને બાળવામાં પણ ઉપયોગી છે. જો રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન કરવામાં આવે તો વ્યક્તિની ભૂખ નિયંત્રિત રહી શકે છે અને મેટાબોલિઝ્મ પર પણ સકારાત્મક અસર પડે છે
5. ત્વચા માટે ઉપયોગી:- ત્વચાની કેટલીય સમસ્યા દૂર કરવા માટે રાત્રે સુતા પહેલા કાચા નારિયેળનું સેવન ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. જણાવીએ કે કાચું નારિયેળ શરીરની ગરમીને નિયંત્રિત કરીને ચહેરા પરના ડાગ-ધબ્બા અને ખીલ ને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. એવામાં તમે રાત્રે સુતા પહેલા લગભગ અડધા કલાક પહેલા કાચા નારિયેળનું સેવન કરો. આમ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓમાં આરામ મળી શકે છે.
નોંધ – ઉપર જણાવેલી માહિતી દ્વારા છે કે કાચા નારિયેળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તમે કોઈ વિશિષ્ટ ડાયટ ફોલો કરી રહ્યા હોવ કે કોઈ ગંભીર બીમારીગ્રસ્ત હોવ તો પોતાના ડાયટમાં કાચા નારિયળનો સમાવેશ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.