હવે ચોમાસાની સારી એવી શરૂઆત થઇ ગઈ છે. આથી સ્વાભાવિક છે કે અનેક રોગોનું જોર પણ વધવા લાગે છે. કારણ કે ઠેર ઠેર ગંદકી, કાદવ કીચડ વગેરેને કારણે તેના પર માખી અને મચ્છરનું જોર વધી જાય છે. જેનાથી ડેન્ગ્યું અને મેલેરિયા જેવો રોગચાળો જોવા મળે છે. પણ તમે સાવધાન થઈને આયુર્વેદના કેટલાક ઉપાયો અપનાવીને આવી બીમારીથી દુર રહી શકો છો.
વરસાદ એ ગરમીથી તડપતી દરેક વસ્તુઓને સુંદર અને લીલી બનાવી દે છે. પણ ચોમાસાની ઋતુ આવતા જ જળ આધારિત બીમારીઓ ફેલાવા લાગે છે. આ ઋતુમાં કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યું, મેલેરિયા, તાવ અને ફ્લુ જેવી બીમારીઓ સામાન્ય છે. આ સિવાય તળેલૂ અને તીખું ખાવાની આદતથી સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. દર વર્ષે આ બીમારીઓને કારણે લાખો લોકોની મોત થાય છે.
આર્યુવેદથી લઈને હોમીયોપેથી, યુનાની, સિદ્ધ, યોગ, સોવા-રીગ્પા અને પ્રાકૃતિક ચિકિત્સા જેવી બધી જ પદ્ધતિઓ એ વાતને માને છે કે ચોમાસાની ઋતુમાં બદલાવ અને સૂક્ષ્મજીવોમાં વૃદ્ધિની સાથે, આપણા શરીરની પ્રતિરક્ષા પ્રણાલી કમજોર થઇ જાય છે. તે આપણને બધા પ્રકારના વાયરલ, બેક્ટેરીયલ અને ફંગલ સંક્રમણ પ્રતિ વધુ સંવેદનશીલ બનાવે છે. ઘણા સરળ ઉપાયોનું પાલન કરીને અને પોતાની જીવનશૈલીમાં થોડા સરળ બદલાવ કરીને આપણે સરળતાથી પોતાની પ્રતિરક્ષા પ્રણાલી સુધારી શકીએ છીએ અને ચોમાસાની બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. અપચો, ઉલટી, ઝાડાનો ખતરો વધી જાય છે:- ચોમાસાની ઋતુમાં પાચન સંબંધી પરેશાનીઓ વધી જાય છે. પેટનો દુખાવો, ઝાડા, ઉલટી, કબજિયાત, માથાનો દુખાવો, તાવ, ભૂખ ન લાગવી, પાચન સંબંધી બીમારીઓ હોય છે. તેનાથી બચવા માટે ઘણા પ્રવાહી લઈને હાઈડ્રેટ રાખવાની જરૂર હોય છે. આદુને ખાવાથી અથવા ચા માં નાખીને ખાવાથી ઉબકા, ઉલટી અને ઝાડા માટે છે, દુખાવાથી રાહત મેળવવા માટે નાભિમાં અને તેની આસપાસ હિંગનો લેપ લગાવવાથી આરામ મળે છે.
મસાલેદાર અને બહારના ખાવાથી દુર રહેવું:- ચોમાસામાં વધુ મસાલેદાર ભોજન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે. તેનાથી અપચો, અતિ અમ્લતા અને સોજો થઇ શકે છે. આ ઋતુમાં રેસ્તરા અને રોડ સાઈડ દુકાનોના ભોજનથી બચવું જોઈએ, તેમાં કીટાણું હોઈ શકે છે, જે તમને બીમાર પાડી શકે છે.
પાનવાળી શાકભાજી ન ખાવી જોઈએ:- ચોમાસાની ઋતુમાં જમીનની આસપાસ ઉગતી લીલી પાનવાળી શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. આ શાકભાજી વધુ ગંદી અને ભેજ ને આકર્ષિત કરે છે અને ચોમાસા દરમિયાન તેને સાફ કરવી મુશ્કેલ હોય છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા ઘુસી જવાનું જોખમ રહેલું છે.
કડવી શાકભાજી ઉત્તમ છે:- ફીટ અને સ્વસ્થ રહેવા માટે કડવી શાકભાજી અને જડીબુટ્ટીનું સેવન કરવું જોઈએ. એવામાં સંક્રમણને દુર રાખવામાં મદદ કરવા માટે કારેલા, લીમડો, મેથી અને હળદર સારો વિકલ્પ છે.
આ રીતે પાચન શક્તિ મજબુત કરે છે:- દરેક ભોજન પહેલા આદુનો નાનો કટકો સિંધાલુ મીઠા સાથે ખાવું જોઈએ. આ સંયોજન તમને ભોજન પચાવવામાં મદદ કરે છે. આ ઋતુમાં ઠંડુ કે વાસી ભોજન ન ખાવું. ગરમ ભોજન ખાવ અને સલાડ જેવા કાચા ખાદ્ય પદાર્થ બચવું. ચોમાસાની ઋતુમાં થોડા મધની સાથે ઉકાળેલું પાણી પીવો. આ મિશ્રણ પાણીમાં રહેલ અશુદ્ધિઓને દુર કરે છે.
સાફ-સફાઈનું ધ્યાન રાખો:- ચોમાસામાં પોતાના ઘરની આસપાસ સાફ-સફાઈનું ધ્યાન રાખો. સાથે જ હાથ પગને સારી રીતે સાફ કરો. ત્વચા સંબંધી કોઈપણ સમસ્યાઓને રોકવા માટે પોતાના પગને સારી રીતે સુકાયા પછી બામ કે ક્રીમ લગાવો. જેમાં એન્ટી ફંગલ અને એન્ટી બાયોટીક ગુણ હોય છે. સાથે બહારથી આવ્યા પછી સ્નાન કરો અને દરરોજ સાફ કપડા પહેરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી)