મિત્રો આપણા સુવાની રીત આપણા શરીર પર ઘણી અસર કરે છે. ક્યારેક તમે એવું પણ સાંભળ્યું હશે કે તમારા મમ્મી પપ્પા કે દાદા-દાદી માંથી કોઈ એકને કમરના દુખાવાની ફરિયાદ હોય અને તેઓ સીધા પોતાની પથારી લઈને જમીન પર પહોંચી ગયા હોય. તમે એ વાત તો સાંભળી જ હશે કે જમીન પર સુવું કમર માટે ખૂબ સારું હોય છે. કહેવાય છે કે તમે પીઠ, કમર કે ખભાના દુખાવા થી પરેશાન હોવ તો જમીન પર સુવાથી સારો એવો ફરક મહેસૂસ કરી શકો છો અને વગર દવાએ રાહત થશે.
મોટાભાગે એવું થાય છે કે આપણે બજારમાંથી ગાદલા ખરીદતા સમયે નરમ અને મુલાયમ ગાદલા લઈ લઈએ છીએ પરંતુ લાંબા સમયે આ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી કમર, પીઠ અને ખભાના સિવાય શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવાની ફરિયાદ થઇ શકે છે. તો જ્યારે તમે થોડી ઘણી આવી સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હોવ તો અને એવા મુઝવણમાં હોવ કે જમીન પર સુવાથી તમને કોઈ લાભ થશે પણ કે નહીં, તો આજે અમે તમને જણાવીશું કે જમીન પર સુવાના ક્યાં લાભ છે અને ક્યાં નુકશાન છે.
જમીન પર સુવાના ફાયદા:-
1) જમીન પર સુવાથી મુદ્રા સારી થાય છે. જો તમે જમીન પર સૂઓ છો તો તે ખૂબ સારું સાબિત થઈ શકે છે, વિશેષરૂપે નરમ ગાદલા પર સૂવાથી મોટાભાગે શરીરની અંદર ખાસ અંગો પર વજન પડે છે તેનાથી જ્યારે અંગ દબાય છે તો દુખાવો વધી જાય છે. લાંબા સમય સુધી આવું થવાથી શરીરના આ મુદ્રામાં બદલાવ જોવા મળી શકે છે. જમીન પર સુવાથી આવી સમસ્યા ઓછી થાય છે.
2) એક વાત જે આપણે અનેક વાર સાંભળી છે કે જમીન પર સૂવાથી પીઠ અને કમરના દુખાવાથી છુટકારો મળે છે. હકીકતમાં નરમ ગાદલા પર સૂવા થી તમે ખોટી મદ્રામાં સૂઈ શકો છો. જો તમે જમીન પર સુવો છો તો તે શરીરને આરામ આપે છે અને નરમ ગાદલા પર લાંબા સમય સુધી સુઈ રહેવાથી નસો અને માંસપેશીઓમાં ઉત્પન્ન થતા તણાવને દૂર કરવામાં મદદ મળે છે.
3) જમીન પર સુવાથી બ્લડ સરકયુલેશન સારુ થાય છે, જેવી રીતે અમે તમને ઉપર જણાવ્યું કે નરમ ગાદલા પર સૂવા થી મોટા ભાગે નસો અને માસપેશીઓ દબાઈ જાય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પર અસર થાય છે. તો જો તમે જમીન પર સુવો છો તો આ સંભાવનાને દૂર કરી શકો છો.
4) જમીન પર સુવાથી તમે સાયટીકા ના દુખાવામાં રાહત મેળવી શકો છો. સાઇટીકા નો દુખાવો એક ખરાબ સપના જેવો હોય છે. તેનું કારણ તમારા શરીર પર કે નસો પર ખોટી જગ્યાએ દબાવ પડવાથી થઈ શકે છે. સાઈટીકા એક નસ છે જે કમર અને નિતંબથી થઈને તમારા પગની તરફ આવે છે. એવું માનવામાં આવે છે કે જમીન પર સુવાથી સાયટીકા ના દુખાવામાં આરામ મળે છે.
5) જમીન પર સૂવાથી નિતંબ અને ખભાને પણ ફાયદો થાય છે. જમીન પર સૂવાથી ખભા, ગરદન અને નિતંબ ના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.
6) જમીન પર સુવાથી પીઠના દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. વાસ્તવમાં જમીન પર સુવાથી કરોડરજ્જુ સીધું રહે છે, જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને તેનું પરિણામ એ આવે છે કે પીઠના દુખાવામાં આરામ મળે છે.
7) હાડકા અને સાંધા માં વાગ્યું હોય તો જમીન પર સુવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે જમીન પર સુવાથી હાડકા ની સંરચના શ્રેષ્ઠ થાય છે.
જમીન પર સુવાના નુકસાન:- એ વાતનું ધ્યાન રાખવું કે જો તમને કોઇ ગંભીર રીતે વાગ્યું હોય તો ડોક્ટરની સલાહ લઈને જ જમીન પર સૂવું. જો હાડકાં સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો આવા લોકોએ ડોક્ટરની સલાહ લીધા વગર જમીન પર સુવું ન જોઈએ. જમીન પર સૂવું ફાયદાકારક છે પરંતુ. અમુક ઋતુ અનુસાર ધ્યાન રાખી ને સુવું…જેમ કે ગરમીમાં જીવ જંતુ નીકળતા હોય તો ધ્યાન રાખી અને તમારી સેફટી મુજબ સુવું જોઈએ…
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay