આજની જીવનશૈલી, ખાણીપીણી અને બદલાતું હવામાન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. અને શરીરમાં કઈક ને કઈક સમસ્યાઓ ઊભી થાય છે. શરીરમાં કંઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણે તેને દૂર કરવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેમાં ઔષધીય ગુણો હોય છે. આવી વસ્તુમાં આદુનો સમાવેશ થાય છે. આદુ એક એવો ખાદ્ય પદાર્થો છે જેનું સેવન દરેક સિઝનમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
આદુના સેવનથી પેટમાં દુખાવો, ઉલટી જેવી નાની મોટી સમસ્યાઓને દૂર કરી શકાય છે. આદુ અનેક દવાઓમાં એક સારું ઓપ્શન છે. અનેક પ્રકારના ઘરેલુ નુસખામાં આદુનો ઉપયોગ થાય છે. ઇમ્યુનિટી બુસ્ટ કરવાથી લઈને શરીરના દુખાવાને દૂર કરવામાં આદુ આપણા માટે ખૂબ જ અસરકારક હોય છે. આદુ ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે પરંતુ જો આદુને ખાલી પેટે ખાવામાં આવે તો આ વિશેષ રૂપે શરીર માટે વધારે ગુણકારી બની શકે છે. તો ચાલો આજે આપણે આ લેખના માધ્યમથી ખાલી પેટે આદુ ખાવાથી સ્વાસ્થ્યને કેવા લાભ થાય છે તે જાણીએ.
1) હૃદય:- ખાલી પેટે આદુનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે આદુમાં ઔષધીય ગુણ હોય છે જે બ્લડ ક્લોટીંગ, બ્લડ પ્રેશર અને લિપિડને નિયંત્રિત કરે છે. તે સંયુક્ત હૃદયને અસર કરે છે. જે તમારા હૃદય માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છતા હો તો ખાલી પેટે આદુને પાણી સાથે કે પછી આદુને ચૂસો તેનાથી તમને ઘણો લાભ થશે.
2) માસિક ધર્મની સમસ્યા:- આદુ માં સારો દર્દ નિવારક ગુણ ઉપલબ્ધ છે.ખાલી પેટે આદુનું સેવન કરવાથી માસ પેશીઓમાં થતા તણાવને ઓછું કરી શકાય છે. વિશેષ રૂપે માસિક ધર્મમાં થતા કળતરને દૂર કરવામાં આદુ અસરકારક સાબિત થાય છે. સાથે જ આ દરમિયાનમાં સ્પેશીયોમાં થતા ખેંચાણ અને સોજામાં પણ આદુનું સેવન કરી શકાય છે. માસિક ધર્મમાં ખાલી પેટે આદુનું સેવન તમારા માટે લાભદાયક છે તેથી જ્યારે પણ તમે માસ પેશીઓના દુખાવાનો અહેસાસ કરો છો તો ખાલી પેટે એક ઇંચ આદુને ગરમ કરીને તેને ચાવો. તેનાથી તમને અત્યંત રાહત મળશે.
3) ત્વચા:- જો તમે તમારા ચહેરા પર નિખાર લાવવા ઈચ્છતા હોવ તો આદુ તમારા માટે ખૂબ જ ગુણકારી બની શકે છે. વિશેષરૂપે ખાલી પેટે આદુનું સેવન કરવાથી ત્વચા પર ચમક આવે છે. સાથે જ તમારા ડાઘ ધબ્બા પણ દૂર કરે છે. સુંદર ત્વચા મેળવવા માટે સવારમાં ખાલી પેટે એક આદુના ટુકડાને નવશેકા ગરમ પાણી સાથે ખાવ તેનાથી તમારી સ્કિન પર નિખાર આવી જશે.
4) પાચન:- ખાલી પેટે આદુનું સેવન કરવાથી પાચનથી જોડાયેલી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેના માટે સવારમાં ખાલી પેટે આદુંનું પાણી પીવો તેનાથી પાચનથી જોડાયેલી સમસ્યાઓ જેમ કે ગેસ, કબજિયાત ઉલટી, અપચો જેવી સમસ્યાઓ દૂર થશે.
5) સંધીવા:- આદુમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એનાલ્જેસિક ગુણ ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં થતા સોજા અને દુખાવાને દૂર કરવામાં લાભદાયક છે. તેના આ જ ગુણોને લીધે તે સંધિવા ના રોગીઓ માટે પણ ઘણું લાભદાયક છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે દરરોજ સવારમાં ખાલી પેટે આદુ કે પછી આદુના પાણીનું સેવન કરો છો તો તેનાથી સંધિવા થી થતી સમસ્યાઓને દૂર કરી શકાય છે.
6) ડાયાબિટીસ:- જો તમને ડાયાબિટીસ હોય તો તમારા સુગર લેવલને નિયંત્રિત કરવા માટે સવારમાં ખાલી પેટે આદુનું સેવન કરો. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે આદુમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવાના ગુણ હોય છે. આ ઇન્સ્યુલિનની સક્રિયતા ને વધારવાનું કાર્ય કરે છે. એવામાં આ વ્યાપક રૂપે ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે.
7) વજન:- વજન ઘટાડવા માટે અનેક હેલ્થ એક્સપર્ટ આદુનું પાણી ખાલી પેટે પીવાની સલાહ આપે છે. આપણામાંથી અનેક લોકો આ ટિપ્સને ફોલો પણ કરી ચૂક્યા હશે. ખાલી પેટે આદું કે આદુનું પાણી પીવાથી મેટાબોલિઝમ રેટ વધે છે જેનાથી તમારું વજન જાતે જ ઓછું થવા લાગશે. એટલું જ નહીં આદુનું સેવન કરવાથી પેટ, કમર, નિતંબની ચરબીને સરળતાથી ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે તમે આદુથી ડીટોક્ષ ડ્રિન્ક પણ તૈયાર કરી શકો છો.
ખાલી પેટે આદુનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે પણ સારું માનવામાં આવે છે. તેનાથી તેમને ઉબકા, ઉલટી જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે, કારણ કે આનાથી આંતરડાનો ગેસ ઓછો થઈ જાય છે.આ પેટ માટે ઘણું જ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ, ધ્યાન રાખવું કે ઉનાળાની ઋતુમાં વધુ પ્રમાણમાં આદુનું સેવન ન કરવું,આનાથી તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay