આજનું દુષિત પર્યાવરણ, અનિયમિત ભોજન અને તણાવગ્રસ્ત જિંદગી આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. પરંતુ આ બીમારીઓ સામે લડવા માટે આપણું રસોઈ ઘર જ પૂરતું છે. આપણા રસોઈમાં થી જ મળી આવતા ધાણાના બીજ એટલે કે ધાણા ના બીજ આપણા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ઘણી ઉપયોગી છે. શાક નો રંગ અને સ્વાદ વધારવા માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે. વળી, લીલા ધાણાના બીજ પણ કેટલાય પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. સામાન્ય રીતે ધાણાના બીજ એટલે કે ધાણા ના બીજ નો ઉપયોગ દાળ કે શાકમાં કરવામાં આવે છે. તેનાથી વિશેષ માં ધાણા ના બીજ પાચનની સમસ્યા, આંખો આવવી, સંધિવાની સમસ્યા, ત્વચાની સમસ્યા, એનિમિયા વગેરે સમસ્યાઓને દૂર કરવામાં ઉપયોગી છે.
રસોઈમાં ઉપયોગ કરવામાં આવતી ધાણાના બીજ માં ફાઇબર, કેલ્શિયમ,આયર્ન,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,પોટેશિયમ,સોડિયમ, ઝીંક, વિટામીન સી વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આના ઉપયોગથી સ્વાસ્થ્યને કેટલાય ફાયદા થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો ધાણા ના બીજ નો લેપ શરીરમાં થતી કેટલીય સમસ્યાઓને દૂર કરી શકે છે. હા,આજનો અમારો લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી બતાવીશું કે ધાણીના લેપ થી સ્વાસ્થ્ય ને કયા કયા લાભ થઈ શકે છે. આવો જાણીએ.
1. ત્વચાની સમસ્યા દૂર થાય:- ત્વચા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ધાણા ના બીજ નો લેપ તમારા ખૂબ જ કામમાં આવી શકે છે. જણાવીએ કે ધાણા ના બીજ ની અંદર વિટામિન સી ની સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે જે ના કેવળ ત્વચાને સ્વસ્થ રાખે છે પરંતુ વધતી ઉંમરને પણ રોકવાનું કામ કરે છે. આમાં તમે ધાણા ના બીજ ના બીજ ને પાણી સાથે મેળવીને એક લેપ તૈયાર કરો અને આ લેપ ને તમારા ચહેરા પર લગાવો. તેના સિવાય તમે ધાણાના પાણીને પણ ચહેરા પર લગાવવાથી ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર કરી શકો છો.
2. વાળ ખરવાની સમસ્યા માંથી રાહત:- આજના સમયમાં તણાવ, ધૂળ-માટી, વાયુ પ્રદુષણ વગેરેના કારણે વાળ ખરવાના શરૂ થઈ જાય છે. અને તે ટાલ પડવાનું પણ કારણ બની શકે છે. એવામાં આ સમસ્યા દૂર કરવા માટે ધાણા ના બીજ નો લેપ તમારા માટે ખૂબ જ કામ આવી શકે છે. તમે ધાણાના બીજનું ચૂરણ તૈયાર કરીને તેમાં સરકો મેળવો. આ મિશ્રણને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી ટાલની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. જોકે આ મિશ્રણનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી, બની શકે કે ટાલની સમસ્યા બીજી કોઈ બીમારીના કારણે પણ થઇ હોય. તેથી એકવાર ડોક્ટરની સલાહ જરૂર લેવી.
3. માથાના દુખાવામાં રાહત:- માથાના દુખાવાને દૂર કરવા માટે પણ ધાણાના બીજ નો લેપ તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. તમે ધાણીને પીસીને પાણી સાથે મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ માથા પર લગાવો. આમ કરવાથી ના કેવળ માથાનો દુખાવો ઓછો થશે પરંતુ માથાના દુખાવાના કારણે થતાં ભારેપણા માંથી પણ રાહત મળશે.
4. આંખોનો દુખાવો દૂર થાય છે:- આંખોનો દુખાવો કોઈપણ કારણે થઈ શકે છે જેમ કે ધૂળ-માટીના કારણે પ્રદૂષિત વાતાવરણના કારણે કે વારંવાર કોમ્પ્યુટર પર કામ કરવા ના કારણે. આવામાં આ દુખાવાને દૂર કરવા માટે ધાણા ના બીજ તમારા ખૂબ જ કામમાં આવી શકે છે. ધાણીને જઉ સાથે પીસી લો અને તેમાં પાણી રેડીને એક ઘટ્ટ લેપ તૈયાર કરો. હવે આ લેપને એક શુદ્ધ કાપડમાં લગાવી દો અને આ કાપડ આંખો પર બાંધી દો. આમ કરવાથી આંખોના દુખાવામાં રાહત મળશે.
5. ગઠિયા વા ના દુખાવા માં રાહત થાય:- ગઠિયા વા ના દુખાવાને દૂર કરવા માટે ધાણા ના બીજ નો લેપ તમને ખૂબ જ કામ આવી શકે છે. એના માટે તમે નારિયેળના તેલમાં ધાણા ના બીજનું ચૂર્ણ મેળવો. આ મિશ્રણને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. આમ કરવાથી ગઠિયા વા માં તો રાહત મળશે જ પરંતુ સાંધાના દુખાવામાં પણ રાહત મળશે. આવામાં જે લોકો ગઠિયા વા ના દુખાવા થી હેરાન થાય છે તેઓ ધાણા ના બીજ નો ઉપયોગ કરી શકે છે.
નોંધ – ઉપર જણાવ્યા પ્રમાણે ધાણા ના બીજ નો લેપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ જો ઉપર બતાવેલી સમસ્યા કોઈ અન્ય કારણોસર થઈ હોય તો ધાણીનો લેપ ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જો તમને એલર્જી જેવું લાગે તો તેનો ઉપયોગ ત્વચા પર ન કરવો.