આજનું દુષિત વાતાવણ અને અનિયમિત ભોજન આપણા સ્વાસ્થ્યને અસર કરે છે. અને શરીરમાં કેટલાય પ્રકારની બીમારીઓ થાય છે. તેમાં કબજિયાતની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાથી અનેક મહિલાઓ પરેશાન રહે છે. કબજિયાત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે.
કબજિયાત ની સમસ્યા કોલનથી ઝેરનું શોષણ પણ કરે છે. તેની સાથે જ ખીલ, એસીડીટી, મોઢામાં છાલા, ઉદાસી જેવી સમસ્યાઓ થઈ શકે છે અને કેટલીક વાર આ હતાશાનું કારણ પણ બની શકે છે. આમાં વાત નું સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. આના સિવાય કબજિયાતથી પેટનું ફૂલવું અને તેમાં દુખાવો, માથાનો દુખાવો, શ્વાસ ની દુર્ગંધ, વ્યાકુળતા અને બેચેની જેવી સમસ્યાઓ વધી શકે છે.
આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક ઉપચાર ખૂબ જ મદદરૂપ બની શકે છે. આયુર્વેદ કબજિયાતને દૂર કરવા અને મળ ત્યાગ ને સરળ અને નિર્વિક્ષેપ બનાવવાના કેટલાક ઉપાયો જણાવે છે.
આયુર્વેદિક નિષ્ણાતો જણાવે છે કે, કબજિયાત એ સૌથી વધુ પરેશાન કરવાવાળી સમસ્યાઓમાં એક છે, જેનો કોઈ પણ અનુભવ કરી શકે છે. મળ ત્યાગ ન કરી શકવો તે નિરાશાજનક બની શકે છે અને તે વ્યક્તિના જીવનની ગુણવત્તા ને અસરકારક બની શકે છે. કબજિયાતનો અર્થ એવા મળ ત્યાગ થી છે જે અત્યંત કઠોર અને શુષ્ક હોય છે. આ માત્ર મુશ્કેલીભર્યું નથી હોતું પરંતુ કષ્ટ દાયક પણ હોય છે. કબજિયાત ના આયુર્વેદિક ઉપચાર જાણતા પહેલાં આપણે કબજિયાતના કારણો વિશે જાણીએ.
કબજિયાતના કારણો:- વાત દોષ ને અસંતુલિત કરવાવાળા સુકા અને ઠંડા ભોજનનું સેવન પર્યાપ્ત પાણી ન પીવું. તાપમાં અધિક સમય પસાર કરવો. શારીરિક રીતે નિષ્ક્રિય રહેવું અને લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવું.
કબજિયાત નો આયુર્વેદિક ઉપચાર:- આયુર્વેદ વ્યક્તિગત શરીર ના પ્રકાર વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિ અને જીવનશૈલી અનુસાર કબજીયાત ના ઉપચાર માટે હર્બલ ફોર્મ્યુલેશન ના ઉપયોગની વાત કરે છે. કબજીયાત ના ઉપચાર માટે ખોરાકના બદલાવની જરૂર છે. કેમિકલ આધારિત જુલાબ થી બચવું જોઈએ તેના બદલામાં કુદરતી રીતે જુલાબ ની કોશિશ કરવી જોઈએ. શારીરિક ગતિવિધિ શરીરના મેટાબોલિઝ્મને સુધારવા માટે મહત્વપૂર્ણ છે તેના માટે દરરોજ થોડા સમય માટે કસરત અને યોગ કરવો જોઈએ.
કબજીયાત માટે યોગાસન:-
ભુજંગાસન:- કબજિયાતની સમસ્યાની સાથે સાથે ગેસની સમસ્યા પણ થાય છે ભુજંગાસન તમારા પેટના મસલ્સ અને તમારા પાચન અંગો ને ફેલાવવા માટે ખૂબ જ સારુ છે. જેનાથી સરળતાથી ગેસ પસાર થવામાં મદદ મળે છે
ત્રિકોણાસન:- ત્રિકોણાસન માં તમારું માથું સાઈડ બાજુ વળેલું હોય છે જેનાથી તમારા પાચન અંગો પર સારો પ્રભાવ પડે છે અને કબજીયાત થી રાહત મળે છે
વિપરિત કરણી:- આ આસન ના નામથી જ જણાય છે કે આ વિપરિતકર્ણી એટલે કે ક્રિયાનું ઊંધુ છે. આ યોગ એક સરળ આસન છે જે આપણા સ્વાસ્થ્યને કેટલાય લાભ પ્રદાન કરે છે. આને કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.
પવનમુક્તાસન:- આ આસન ના નામથી જણાય છે કે તમે કદાચ હવા ને તોડી દેશો. પવનમુક્તાસન એક એવું આસન છે જે પેટની માલિશ કરવા માટે ખૂબ જ સારું છે જેનાથી ફસાયેલા ગેસ ને બહાર નીકળવામાં મદદ મળે છે. સાથે જ કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.
શલભાસન:- શલભાસન નમેલી પીઠને વાળવા વાળુ આસન છે આ આસન પેટના દબાવને વધારે છે જે બદલામાં પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે અને ગેસ્ટ્રીક ની સમસ્યા અને કબજીયાત થી રાહત આપે છે. અને લીવરના કાર્યને સંતુલિત કરે છે.
અર્ધમત્સ્યેન્દ્રાસન:- અર્ધમત્સ્યેન્દ્રાસન માં પણ તમારું માથું વળેલું હોય છે જેનાથી તમારા પેટમાં ખરાબ પદાર્થો બહાર નીકળે છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે. આ આયુર્વેદિક ઉપચાર કરવા ઉપરાંત જો તમને કબજિયાતથી જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો વિશેષજ્ઞ ની સલાહ અવશ્ય લેવી જોઇએ જેથી કબજિયાત અને અન્ય સમસ્યાના ઉપચાર માટે અનુકૂળ આયુર્વેદિક દવા થઈ શકે.