જો તમે વારંવાર બીમાર પડતા હોવ તો તેનું મુખ્ય કારણ કમજોર ઇમ્યુનિટી સિસ્ટમ હોઈ શકે છે. સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ મહામારીનો પ્રકોપ ફેલાયેલો છે. એવામાં ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. શરીરને સ્વસ્થ રાખીને બીમારીઓથી બચવા માટે હેલ્ધી ડાયટ લેવું અત્યંત જરૂરી છે. ઇમ્યૂનિટીને વધારવા માટે તમારે દવા લેવાની જરૂર નથી. તેનું સમાધાન તમારા રસોઇ ઘરમાં જ છે. આપણા રસોઈ ઘર ના મસાલા ખાવાનો સ્વાદ વધારવાની સાથે તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા પણ છે. આવા મસાલામાં એક કાળા મરી છે.
કાળા મરીમાં અનેક બાયોએક્ટિવ યોગિક હોય છે, જેમાં પીપેરિન સૌથી મહત્વપૂર્ણ છે. પીપેરિન એ કુદરતી આલ્કલોઇડ છે જે કાળા મરીને તેનો તીખો સ્વાદ આપે છે. પીપેરિન એક પ્રકારનો એન્ટી ઓક્સીડેન્ટ છે. જે હૃદયના રોગો અને જૂની બીમારીઓના જોખમને દૂર કરવામાં મદદ કરે છે.
ડાયટિશ્યન પ્રમાણે દરરોજ સવારમાં ખાલી પેટે લીંબુ વાળા ગરમ પાણી સાથે એક ચમચી કાળા મરી પાઉડર લેવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. તેના સિવાય અનેક ગંભીર રોગોના જોખમને પણ દૂર કરે છે. જો તમે માત્ર એક મહિનો આ રીત અપનાવો છો તો તમને અસંખ્ય સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
ઇમ્યુનિટી સિસ્ટમ બને મજબૂત :- કાળા મરીમાં એવા તત્વો ઉપલબ્ધ હોય છે જે સીધી રીતે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાની તાકાત રાખે છે. આ મસાલો શરીરની કોશિકાઓને સંપૂર્ણ પોષણ આપે છે અને તેને ડેમેજ થતા અટકાવે છે. આ બોડી ફ્રી રેડીકલ ડેમેજ થતાં બચાવે છે.
શરીરની અંદરથી કરે સફાઈ :- શરીરને સ્વસ્થ રાખવા માટે આંતરડા નું કામકાજ સારું હોવું જરૂરી છે. એક સ્વસ્થ આંતરડા નો મતલબ છે એક સ્વચ્છ અને ડિટોક્ષીફાય પેટ. આ ચમત્કારિક મિશ્રણ શરીરના બધા ઝેરીલા પદાર્થો અને રસાયણોને બહાર કાઢી દે છે. પાચનમાં સુધારો કરે છે અને પેટની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
ડિહાઇડ્રેશનથી બચાવે :- ગરમ પાણી લીંબુ અને કાળા મરીનું મિશ્રણ આંતરડાને સ્વસ્થ રાખવા માટે સારી રીતે કામ કરે છે. આ શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવામાં સહાયક છે. આ તમને આખા દિવસ દરમિયાન ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ ત્વચામાં પણ નમી બનાવી રાખે છે.
કાળા મરી વજન ઘટાડવામાં સહાયક :- આ મિશ્રણ વજન ઓછું કરવા વાળા લોકો માટે સૌથી સારો વિકલ્પ છે. આ બંને મળીને સારા પાચન માટે મેટાબોલિઝ્મને વધારે છે અને વધારે કેલેરી બર્ન કરે છે. સતત એક મહિના સુધી આ મિશ્રણનું સેવન તમને સારું પરિણામ આપી શકે છે.
કબજિયાતથી છુટકારો :- જે લોકો જૂના કબજિયાતથી પીડિત છે તેઓએ આ મિશ્રણનું સેવન જરૂર કરવું જોઈએ. આ તમારા મળત્યાગ માં સુધારો કરે છે અને કબજિયાતને મટાડે છે. આ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને પેટ અને આંતરડાને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
(આ લેખ સામાન્ય જાણકારી માટે જ છે આ કોઈપણ પ્રકારે કોઈ પણ દવા નો વિકલ્પ કે ઈલાજ ન હોઈ શકે. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.)